શુ છે CAB (Citizenship Amendment Bill)? સમજો એકદમ સરળ ભાષામાં.
https://juniakholprimary4556.blogspot.com/
• ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યાર બાદ આપણે બોર્ડરને એટલી સુરક્ષિત ના કરી કે બોર્ડર પરથી ઘુસણખોરો ભારતમાં ના આવી શકે. તે સમયે પણ ઘણા લોકોએ પાકિસ્તાન પસંદ કર્યું. છતાં પણ, ભારતમાં ઘુસણખોરી ચાલુ રાખી. ઘુસણખોરી એ ભારતની સુરક્ષા માટે મોટું સંકટ છે; આ સંકટ વિશે ખુદ ઈદિંરા ગાંધી પોતે પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા હતા. આજે પૂર્વનાં રાજ્યો અને બંગાળમાં ઘુસણખોરોની સમસ્યાએ વિકરાળ રુપ ધારણ કર્યું છે.
• આ સમસ્યા આટલી વિકરાળ હોવા છતાં કોઈ રાજનેતાએ સોલ્યુશન લાવવાની હિમ્મત કરી નહિ! 'વોટ-બેંક'ની રાજનીતિ અને ડર, કે આ કામ કરીશું અને દેશમાં અરાજકતા ફેલાશે તો? આવા કાલ્પનિક ડરથી કોઈએ હિમ્મત ના કરી.
• સવાલ એ થાય કે, આ સમસ્યાનું સમાધાન શું?
સમાધાનના ભાગરુપે સૌ પ્રથમ તો એક રજીસ્ટર તૈયાર થાય જેના કારણે તે ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ ભારતીય નાગરિક નથી તેના માટે NRC ( National Register of Citizen - India ) લાગુ કરવામાં આવે જેથી ખબર પડે કે, કોણ મૂળ ભારતીય છે ને કોણ બિનભારતીય.
• હવે જે બિનભારતીય છે તેમાં બે પ્રકાર પડે છે.
૧. શરણાર્થીઓ.
૨. ઘુસણખોરો.
શરણાર્થીઓ :- બીજા દેશમાં તેઓની ધર્મ, જાતિ કે અન્ય કોઈ કારણસર ત્યાંના લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર કરે છે, તે લોકો ભારત પાસે મદદ માંગે. ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે. હવે, આવા લોકો ભારતીય ના હોઈ તેમને વોટ આપવાનો કે અન્ય સરકારી લાભો નથી મળતા. માનવતાના નાતે થોડી ઘણી મદદ મળે. આ લોકોની જાણ સરકાર ને હોય છે.
ઘુસણખોરો:- આ લોકો ભારતમાં આજીવિકા કમાવા માટે ગેરકાનૂની રીતે બોર્ડર ક્રોસ કરી ને અહિંયા આવે. હવે અહિંયા આવ્યા બાદ તેમની કોઈ સરકારી ચોપડે નોંધ હોતી નથી એટલે ગમે તેવા ગુનાહિત કૃત્યો કરે તો પણ પકડાય નહી. આવા લોકો મોટા ભાગે જોખમકારક હોય છે. જો કે, આમાં ઘણા લોકો ફક્ત કમાવાના ઉદેશ્યથી આવે છે.
• NRC લાગુ કરવાથી ઉપર કહ્યું તેમ બિનભારતીયોની ઓળખ થશે. હવે સરકાર નક્કી કરશે કે, આમાંથી કોને ભારતની નાગરિકતા આપવી અને કોને ના આપવી. આ કામ કરવા માટે સરકાર નવો કાયદો લાવી. તે કાયદો એટલે જ Citizenship Amendment Bill એટલે કે CAB
• આ બિલ મુજબ બાંગલાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવી, જ્યારે આ ત્રણ દેશમાંથી આવેલા મુસલમાનોને નાગરિકતા ના આપવી.
• સવાલ એ થાય કે મુસલમાનો ને કેમ નાગરિકતા ના આપવી? પરંતુ ઉપર મેં જે ૬ ધર્મના લોકોનાં નામ લીધા તે લોકો ત્રણેય દેશોમાં પિડિત છે, તે લોકો પર અત્યાચાર થાય છે. આજે પાકિસ્તાનમાં હિંદુ ૨૪% હતા તે ઘટીને ફક્ત ૨% રહ્યા છે; ક્યાં તો મારી નાખવામાં આવ્યા કે પછી તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું.
અફઘાનિસ્તાનમાં બૌદ્ધો ૪% હતા, આજે ત્યા ૦% થઈ ગયા છે. કારણ કે, આ ત્રણેય દેશો પોતાને ઈસ્લામિક દેશ કહે છે (બંધારણની રીતે છે). હવે આવા પિડિત લોકોને આશરો આપવો તે આપણી ફરજ છે. પરંતુ જે મુસલમાનો છે તે લોકો પોતાના દેશમાં જઈ શકે છે કારણ કે, તે લોકો પિડિત નથી. તેઓ ક્યાં તો આજીવિકા માટે આવ્યા છે કે પછી અરાજકતા ફેલાવા માટે આવ્યા છે.
• CAB સંસદમાં પાસ થાય એટલે ૬ એ ૬ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળી જશે. સવાલ એ થાય કે તે મુસલમાનોનું શું? જે લોકો NRCમાં ના આવે તે તમામ મુસલમાનો જાતે જ પોતાના દેશમાં જતા રહે. ધારો કે, કોઈ એવા હોય કે હવે પાછા જઈ શકે તેમ નથી તો પ્રથમ તો તે લોકોના બધા જ નાગરિક તરીકેના અધિકારો છીનવી લેવામાં આવશે જેમ કે વોટ કરવું, સરકારી લાભો મળવા વગેરે. અને સરકાર તેમના મૂળ શોધવા માટે પડોશી દેશો સાથે વાટાઘાટો કરતી રહેશે, પણ જયાં સુધી કોઈ દેશ તેમને સ્વીકારે નહીં ત્યાં સુધી તેઓ ભારતમાં શાંતિથી રહી શકશે, તેમની કાળજી સરકાર રાખશે.
• સૌથી મોટો ભ્રમ આ છે કે, આ બીલ મુસલમાનોના વિરોધમાં છે, પરંતુ એવું નથી. ભારતીય મુસલમાનોને આની સાથે કંઈ જ લેવા દેવા નથી. ઘુસણખોરોને પાછા તેમના ઘરે મોકલવાના છે. અને તેમને પણ પાછા એટલા માટે મોકવાના છે કે, તેઓ તેમના દેશમાં પિડિત નથી. આમ ભારત સરકારે NRC લાગુ કરતા પહેલા CAB પાસ કરવું જરુરી જ છે. માટે જ આજે સંસદમાં CAB પર ચર્ચા ચાલુ છે.
નોંધ :- ઘુસણખોરો દેશની સુરક્ષા માટે ઘણો મોટો ખતરો છે.
(સૌ. - મહેશ પુરોહિત, નવસારી)
જય હિંદ ....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
https://juniakholprimary4556.blogspot.com/
• ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યાર બાદ આપણે બોર્ડરને એટલી સુરક્ષિત ના કરી કે બોર્ડર પરથી ઘુસણખોરો ભારતમાં ના આવી શકે. તે સમયે પણ ઘણા લોકોએ પાકિસ્તાન પસંદ કર્યું. છતાં પણ, ભારતમાં ઘુસણખોરી ચાલુ રાખી. ઘુસણખોરી એ ભારતની સુરક્ષા માટે મોટું સંકટ છે; આ સંકટ વિશે ખુદ ઈદિંરા ગાંધી પોતે પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા હતા. આજે પૂર્વનાં રાજ્યો અને બંગાળમાં ઘુસણખોરોની સમસ્યાએ વિકરાળ રુપ ધારણ કર્યું છે.
• આ સમસ્યા આટલી વિકરાળ હોવા છતાં કોઈ રાજનેતાએ સોલ્યુશન લાવવાની હિમ્મત કરી નહિ! 'વોટ-બેંક'ની રાજનીતિ અને ડર, કે આ કામ કરીશું અને દેશમાં અરાજકતા ફેલાશે તો? આવા કાલ્પનિક ડરથી કોઈએ હિમ્મત ના કરી.
• સવાલ એ થાય કે, આ સમસ્યાનું સમાધાન શું?
સમાધાનના ભાગરુપે સૌ પ્રથમ તો એક રજીસ્ટર તૈયાર થાય જેના કારણે તે ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ ભારતીય નાગરિક નથી તેના માટે NRC ( National Register of Citizen - India ) લાગુ કરવામાં આવે જેથી ખબર પડે કે, કોણ મૂળ ભારતીય છે ને કોણ બિનભારતીય.
• હવે જે બિનભારતીય છે તેમાં બે પ્રકાર પડે છે.
૧. શરણાર્થીઓ.
૨. ઘુસણખોરો.
શરણાર્થીઓ :- બીજા દેશમાં તેઓની ધર્મ, જાતિ કે અન્ય કોઈ કારણસર ત્યાંના લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર કરે છે, તે લોકો ભારત પાસે મદદ માંગે. ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે. હવે, આવા લોકો ભારતીય ના હોઈ તેમને વોટ આપવાનો કે અન્ય સરકારી લાભો નથી મળતા. માનવતાના નાતે થોડી ઘણી મદદ મળે. આ લોકોની જાણ સરકાર ને હોય છે.
ઘુસણખોરો:- આ લોકો ભારતમાં આજીવિકા કમાવા માટે ગેરકાનૂની રીતે બોર્ડર ક્રોસ કરી ને અહિંયા આવે. હવે અહિંયા આવ્યા બાદ તેમની કોઈ સરકારી ચોપડે નોંધ હોતી નથી એટલે ગમે તેવા ગુનાહિત કૃત્યો કરે તો પણ પકડાય નહી. આવા લોકો મોટા ભાગે જોખમકારક હોય છે. જો કે, આમાં ઘણા લોકો ફક્ત કમાવાના ઉદેશ્યથી આવે છે.
• NRC લાગુ કરવાથી ઉપર કહ્યું તેમ બિનભારતીયોની ઓળખ થશે. હવે સરકાર નક્કી કરશે કે, આમાંથી કોને ભારતની નાગરિકતા આપવી અને કોને ના આપવી. આ કામ કરવા માટે સરકાર નવો કાયદો લાવી. તે કાયદો એટલે જ Citizenship Amendment Bill એટલે કે CAB
• આ બિલ મુજબ બાંગલાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવી, જ્યારે આ ત્રણ દેશમાંથી આવેલા મુસલમાનોને નાગરિકતા ના આપવી.
• સવાલ એ થાય કે મુસલમાનો ને કેમ નાગરિકતા ના આપવી? પરંતુ ઉપર મેં જે ૬ ધર્મના લોકોનાં નામ લીધા તે લોકો ત્રણેય દેશોમાં પિડિત છે, તે લોકો પર અત્યાચાર થાય છે. આજે પાકિસ્તાનમાં હિંદુ ૨૪% હતા તે ઘટીને ફક્ત ૨% રહ્યા છે; ક્યાં તો મારી નાખવામાં આવ્યા કે પછી તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું.
અફઘાનિસ્તાનમાં બૌદ્ધો ૪% હતા, આજે ત્યા ૦% થઈ ગયા છે. કારણ કે, આ ત્રણેય દેશો પોતાને ઈસ્લામિક દેશ કહે છે (બંધારણની રીતે છે). હવે આવા પિડિત લોકોને આશરો આપવો તે આપણી ફરજ છે. પરંતુ જે મુસલમાનો છે તે લોકો પોતાના દેશમાં જઈ શકે છે કારણ કે, તે લોકો પિડિત નથી. તેઓ ક્યાં તો આજીવિકા માટે આવ્યા છે કે પછી અરાજકતા ફેલાવા માટે આવ્યા છે.
• CAB સંસદમાં પાસ થાય એટલે ૬ એ ૬ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળી જશે. સવાલ એ થાય કે તે મુસલમાનોનું શું? જે લોકો NRCમાં ના આવે તે તમામ મુસલમાનો જાતે જ પોતાના દેશમાં જતા રહે. ધારો કે, કોઈ એવા હોય કે હવે પાછા જઈ શકે તેમ નથી તો પ્રથમ તો તે લોકોના બધા જ નાગરિક તરીકેના અધિકારો છીનવી લેવામાં આવશે જેમ કે વોટ કરવું, સરકારી લાભો મળવા વગેરે. અને સરકાર તેમના મૂળ શોધવા માટે પડોશી દેશો સાથે વાટાઘાટો કરતી રહેશે, પણ જયાં સુધી કોઈ દેશ તેમને સ્વીકારે નહીં ત્યાં સુધી તેઓ ભારતમાં શાંતિથી રહી શકશે, તેમની કાળજી સરકાર રાખશે.
• સૌથી મોટો ભ્રમ આ છે કે, આ બીલ મુસલમાનોના વિરોધમાં છે, પરંતુ એવું નથી. ભારતીય મુસલમાનોને આની સાથે કંઈ જ લેવા દેવા નથી. ઘુસણખોરોને પાછા તેમના ઘરે મોકલવાના છે. અને તેમને પણ પાછા એટલા માટે મોકવાના છે કે, તેઓ તેમના દેશમાં પિડિત નથી. આમ ભારત સરકારે NRC લાગુ કરતા પહેલા CAB પાસ કરવું જરુરી જ છે. માટે જ આજે સંસદમાં CAB પર ચર્ચા ચાલુ છે.
નોંધ :- ઘુસણખોરો દેશની સુરક્ષા માટે ઘણો મોટો ખતરો છે.
(સૌ. - મહેશ પુરોહિત, નવસારી)
જય હિંદ ....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
No comments:
Post a Comment