'વિવેકપંથી'માં શ્રી ગુણવંત શાહ લખે છેઃ
મારું કુટુંબ આર્યસમાજી હતું. મારા દાદી કબીરપંથી હતાં.
*બાળકોને મંદિરમાં જવાનું કહેવામાં આવતું ન હતું.*
*મારો દીકરો મુંબઇમાં 13મે માળે રહે છે. એણે અપશુકનિયાળ 13નો આગ્રહ રાખેલો.*
*મારી દીકરીએ જાણી જોઇને કમૂરતાંમાં લગ્ન કરેલાં.*
*ચમત્કારમાં મને લગીરે શ્રદ્ધા નથી*
પણ હું સમગ્ર સર્જનને વિરાટ ચમત્કાર માનું છું. મને પ્રભુમાં અપાર શ્રદ્ધા છે. તેના અસ્તિત્વમાં કોઇ શંકા નથી.
*20-22 વર્ષો પહેલાં 10 કરોડ રૂપિયાનો મુગટ તિરૂપતીના વેંકટેશ્વરને ચડાવવાનો હતો ત્યારે મેં લખેલું કે એ પૈસા આંધ્રપ્રદેશમાં શૌચાલયો માટે વાપરવા જોઇએ.*
*મને અંધશ્રદ્ધા પ્રત્યે નફરત છે* પણ શ્રદ્ધાને હું જરૂરી પરિબળ માનું છું.
*અમિતાભે તિરૂપતીમાં કરોડના હીરા ધર્યા તે સામે મારો સખત વિરોધ છે
શ્રદ્ધાળુઓને કહેવાનું પ્રાપ્ત થાય છે કે તમે ક્યારેક મંદિર જાઓ ત્યારે ઇશ્વરને એક સવાલ જરૂર પૂછજોઃ
*'પ્રભુ, તમને કઇ વાતમાં આ દુનિયાનું કલ્યાણ દેખાય છે?*
*લોકો દિનરાત તારા ચરણોમાં મંજીરા વગાડતા રહે તેમાં*
*કે સખત પુરુષાર્થ કરી દેશના વિકાસ માટે પ્રયત્નશીલ રહે તેમાં...?
*‘જો હું ભગવાન હોઉં તો મર્યા બાદ મારી પાસે આવનારને *એમ નહીં પૂછું કે તમે રોજ કેટલી માળા કરતા? કેટલીવાર મંદિરે જતા?*
*હું તેમને પૂછીશ, તમે કેટલા દુઃખીઓના આંસુ લૂછયા? કેટલા ડૂબતાને તાર્યા? કેટલા પીડિતોની વહારે ધાયા? માનવતાનો પાસપોર્ટ અને સદ્કર્મોના સર્ટીફિકેટ વિના હું ?સ્વર્ગનો ‘વિઝા' કોઈ મોટા સંતને પણ નહીં આપું.*
*,આજપર્યંત એકાદ સંત એવો પેદા નથી થયો, જે પોતાના હજારો અનુયાયીઓ ?સમક્ષ એમ કહીને છૂટી પડયો હોય કે
*‘આ અનંત સૃષ્ટિમાં હું ય તમારા જેવો સાધારણ મનુષ્ય છું.*
*મારામાં કોઇ દૈવી શક્તિ નથી.*
*મારા ચરણસ્પર્શ કરશો નહીં.*
મારી આરતી ઉતારી મને શરમમાં નાખશો નહીં.*
*મારી શોભાયાત્રા કાઢી મારી વર્ષગાંઠ ઉજવશો નહીં.*
*ભગવાન દિવ્ય શક્તિ છે.*
*તમે ભગવાનને સાચી રીતે સમજ્યા હો તો* *મારો ફોટો તમારા ઘરના મંદિરમાં મૂકી ભગવાનનું અપમાન કરશો નહીં!'*
*માણસને પોતાની અધૂરપો કે ઉણપો જાહેર કરવા માટે ખાસ્સી આંતરિક તાકાતની જરૂર પડે છે.*
*નિખાલસપણે હોઇએ તેવા દેખાવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી.*
તેમાંય લોકો એકવાર ખભે ઉંચકી લે પછી-
*‘હું તમારા જેવો સાધારણ માણસ છું' એમ કહેવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની જાય છે.*
આસારામ અને નારાયણ સાંઈ સહિત લગભગ 150 જેટલા કહેવાતા સંતો જ્યારે લોકોના ખભેથી ફેંકાઇને સીધા જેલની કોટડીમાં જઈ પડયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે *આપણે ભગવાનના ખભે બંદૂક મૂકી ઈન્સાનો પર ચલાવતાં હતા તે ખોટું કરતાં હતા.*
ભારતમાં સૌથી મોટો બિઝનેસ ધર્મ, બીજો રાજનીતિ અને ત્રીજો છે દલાલી. મહત્વની વાત એ છે કે ત્રણેય ટેક્સ-ફ્રી છે. કડવું છે પણ સત્ય છે
અમેરિકામાં દર 5 હજારે એક વૈજ્ઞાનિક અને શિક્ષક છે. ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે. આમાં શુ દેશ વિશ્ચ ગુરૂ બને ...?
_*અસ્તુ...દિવસમાં બે કામ એવા કરો જેમાં નિઃસ્વાર્થ ભાવના હોય...🍃🌷*_
મારું કુટુંબ આર્યસમાજી હતું. મારા દાદી કબીરપંથી હતાં.
*બાળકોને મંદિરમાં જવાનું કહેવામાં આવતું ન હતું.*
*મારો દીકરો મુંબઇમાં 13મે માળે રહે છે. એણે અપશુકનિયાળ 13નો આગ્રહ રાખેલો.*
*મારી દીકરીએ જાણી જોઇને કમૂરતાંમાં લગ્ન કરેલાં.*
*ચમત્કારમાં મને લગીરે શ્રદ્ધા નથી*
પણ હું સમગ્ર સર્જનને વિરાટ ચમત્કાર માનું છું. મને પ્રભુમાં અપાર શ્રદ્ધા છે. તેના અસ્તિત્વમાં કોઇ શંકા નથી.
*20-22 વર્ષો પહેલાં 10 કરોડ રૂપિયાનો મુગટ તિરૂપતીના વેંકટેશ્વરને ચડાવવાનો હતો ત્યારે મેં લખેલું કે એ પૈસા આંધ્રપ્રદેશમાં શૌચાલયો માટે વાપરવા જોઇએ.*
*મને અંધશ્રદ્ધા પ્રત્યે નફરત છે* પણ શ્રદ્ધાને હું જરૂરી પરિબળ માનું છું.
*અમિતાભે તિરૂપતીમાં કરોડના હીરા ધર્યા તે સામે મારો સખત વિરોધ છે
શ્રદ્ધાળુઓને કહેવાનું પ્રાપ્ત થાય છે કે તમે ક્યારેક મંદિર જાઓ ત્યારે ઇશ્વરને એક સવાલ જરૂર પૂછજોઃ
*'પ્રભુ, તમને કઇ વાતમાં આ દુનિયાનું કલ્યાણ દેખાય છે?*
*લોકો દિનરાત તારા ચરણોમાં મંજીરા વગાડતા રહે તેમાં*
*કે સખત પુરુષાર્થ કરી દેશના વિકાસ માટે પ્રયત્નશીલ રહે તેમાં...?
*‘જો હું ભગવાન હોઉં તો મર્યા બાદ મારી પાસે આવનારને *એમ નહીં પૂછું કે તમે રોજ કેટલી માળા કરતા? કેટલીવાર મંદિરે જતા?*
*હું તેમને પૂછીશ, તમે કેટલા દુઃખીઓના આંસુ લૂછયા? કેટલા ડૂબતાને તાર્યા? કેટલા પીડિતોની વહારે ધાયા? માનવતાનો પાસપોર્ટ અને સદ્કર્મોના સર્ટીફિકેટ વિના હું ?સ્વર્ગનો ‘વિઝા' કોઈ મોટા સંતને પણ નહીં આપું.*
*,આજપર્યંત એકાદ સંત એવો પેદા નથી થયો, જે પોતાના હજારો અનુયાયીઓ ?સમક્ષ એમ કહીને છૂટી પડયો હોય કે
*‘આ અનંત સૃષ્ટિમાં હું ય તમારા જેવો સાધારણ મનુષ્ય છું.*
*મારામાં કોઇ દૈવી શક્તિ નથી.*
*મારા ચરણસ્પર્શ કરશો નહીં.*
મારી આરતી ઉતારી મને શરમમાં નાખશો નહીં.*
*મારી શોભાયાત્રા કાઢી મારી વર્ષગાંઠ ઉજવશો નહીં.*
*ભગવાન દિવ્ય શક્તિ છે.*
*તમે ભગવાનને સાચી રીતે સમજ્યા હો તો* *મારો ફોટો તમારા ઘરના મંદિરમાં મૂકી ભગવાનનું અપમાન કરશો નહીં!'*
*માણસને પોતાની અધૂરપો કે ઉણપો જાહેર કરવા માટે ખાસ્સી આંતરિક તાકાતની જરૂર પડે છે.*
*નિખાલસપણે હોઇએ તેવા દેખાવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી.*
તેમાંય લોકો એકવાર ખભે ઉંચકી લે પછી-
*‘હું તમારા જેવો સાધારણ માણસ છું' એમ કહેવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની જાય છે.*
આસારામ અને નારાયણ સાંઈ સહિત લગભગ 150 જેટલા કહેવાતા સંતો જ્યારે લોકોના ખભેથી ફેંકાઇને સીધા જેલની કોટડીમાં જઈ પડયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે *આપણે ભગવાનના ખભે બંદૂક મૂકી ઈન્સાનો પર ચલાવતાં હતા તે ખોટું કરતાં હતા.*
ભારતમાં સૌથી મોટો બિઝનેસ ધર્મ, બીજો રાજનીતિ અને ત્રીજો છે દલાલી. મહત્વની વાત એ છે કે ત્રણેય ટેક્સ-ફ્રી છે. કડવું છે પણ સત્ય છે
અમેરિકામાં દર 5 હજારે એક વૈજ્ઞાનિક અને શિક્ષક છે. ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે. આમાં શુ દેશ વિશ્ચ ગુરૂ બને ...?
_*અસ્તુ...દિવસમાં બે કામ એવા કરો જેમાં નિઃસ્વાર્થ ભાવના હોય...🍃🌷*_
No comments:
Post a Comment